દેશની લાઇફલાઇન ગણાતી રેલવેના પરિચાલનમાં રેલવે સ્ટેશનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. એચલું જ નહીં, રેલવે સ્ટેશન જે તે શહેરની આગવી ઓળખ પણ હોય છે. કારણ, હાર્ટ ઑફ ધ સિટી એવા સ્ટેશનની આસપાસ શહેરની તમામ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓ કેન્દ્રિત હોય છે. એટલે રેલવેસ્ટેશનોનો વિકાસ એ રીતે થવો જોઇએ કે એ માત્ર ટ્રેનની આવનજાવનનું જ સ્થાન ન બને પણ શહેરની સંસ્કૃતિ, આધ્યાત્મિક અને ધાર્મિક વારસાની પણ ઓળખ બની રહે. આને કારણે દેશ-વિદેશથી આવનારો પર્યટક શહેર સાથેના પોતાના પ્રથમ પરિચયને યાદગાર બનાવી શકે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કુશળ નેતૃત્વ અને વિઝનને કારણે વિશ્વભરમાં ભારતની શાખ વધી છે. એ સાથે દેશના શહેરોના ઐતિહાસિક, ઔદ્યોગિક મહત્વને ધ્યાનમાં રાખી સ્ટેશનનોના પુનર્વિકાસની યોજના બનાવી. એ સાથે તેમણે દેશના વિવિધ સ્ટેશનોના પુનર્વિકાસ યોજનાનો શીલાન્યાસ કરતા કહ્યું હતું કે, વિકસિત થવાના લક્ષ્ય તરફ કદમ વધારી રહેલું ભારત પોતાના અમૃતકાળના પ્રારંભમાં છે. નવી ઊર્જા છે, નવી પ્રેરણા છે, નવા સંકલ્પો છે. એના અનુસંધાનમાં ભારતીય રેલવેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનના કાયાકલ્પનું કામ શરૂ કર્યું છે. તો આગામી બે વરસથી ઓછા સમયગાળામાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત 103 સ્ટેશનોનું લોકાર્પણ કરાશે. રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની આ ગતિ અદ્વિતીય છે.રેલવે અનેક કાર્યક્રમોમાં વડાપ્રધાન કહી ચૂક્યા છે કે જે પરિયોજનાઓનો તેઓ શિલાન્યાસ કરે છે તેનું ઉદ્ઘાટન પણ તેઓ જ કરે છે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા 1300થી વધુ સ્ટેશનોમાં જે 103 સ્ટેશન બનીને તૈયાર થયા છે. આ સ્ટેશનો પર ભવ્ય પ્રવેશદ્વાર, હાઈ માસ્ટ લાઇટિંગ, આધુનિક પ્રતિક્ષાલય, ટિકિટ કાઉન્ટર, મોડર્ન ટોયલેટ અને દિવ્યાંગજન માટે સુગમ રૅમ્પ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્લેટફોર્મ પર શેલ્ટર, કૉચ ઇન્ડિકેશન સિસ્ટમ અને માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે. તમામ સુવિધાઓને દિવ્યાંગજન અનુકૂળ બનાવવામાં આવી છે. દરેક સ્ટેશન પર ગુજરાતની લોક કલા, સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક પણ જોવા મળી રહી છે.
મોરબી રેલવે સ્ટેશન: વિરાસત અને આધુનિકતાનો સંગમ
1935માં નિર્મિત મોરબી રેલવે સ્ટેશન લાંબા સમયથી શહેરની વાસ્તુકલાની સુંદરતા અને ઔદ્યોગિક વિરાસતનો પુરાવો રહ્યું છે. ટાઇલ્સ નિર્માણ ઉદ્યોગ માટે વિશ્વ સ્તરે વિખ્યાત છે એવા મોરબી સ્ટેશનનો પુનર્વિકાસ એ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. લગભગ 10 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા મોરબી સ્ટેશનના પુનર્વિકાસને કાળજીપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનાથી સ્ટેશનના ઐતિહાસિક મહત્વને સુરક્ષિત રાખવાની સાથે પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
સ્ટેશનના મૂળ અગ્રભાગને એક ગૌરવશાળી વિરાસત માળખા તરીકે જાળવી રાખવામાં આવ્યો છે અને પરંપરાગત તત્વો જેમ કે વિરાસત-શૈલીની ટાઇલ્સ હવે પ્રતિક્ષાલય અને કોન્કોર્સ જેવા મુખ્ય આંતરિક ભાગોને સુશોભિત કરે છે. ભૂ-દૃશ્યવાળા બગીચા અને ચારદીવારીની આસપાસ હેરીટેજ ફેન્સિંગ સ્ટેશનના જૂના આકર્ષણને વધુ વધારે છે. સમગ્ર આધુનિકીકરણના પ્રયાસથી મુસાફરીના અનુભવને બહેતર બનાવતા મોરબીની સાંસ્કૃતિક ઓળખને સન્માનજનક રીતે આકાર આપવામાં આવ્યો છે.
ઉન્નત માળખાકીય સુવિધાઓમાં નવા સપાટ પ્લેટફોર્મ, વિસ્તૃત છતનું સમારકામ, મકાનનું નવીનીકરણ અને જીવંત પેઇન્ટિંગનો સમાવેશ થાય છે. એક નવો સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે જે 12 મીટર પહોળા રસ્તાથી સજ્જ છે, જે અવિરત વાહન વ્યવહાર અને બહેતર ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરે છે. દરેક પ્રકારના વાહનો માટે પાર્કિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે જે દૈનિક મુસાફરો અને મુલાકાતીઓ માટે વધુ સારી સુવિધા પ્રદાન કરે છે.
સ્ટેશન પરિસરની અંદર આધુનિકતાનો પરંપરા સાથે સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. વીઆઈપી, સામાન્ય અને એસી વેઈટિંગ હૉલને આરામ અને ભવ્યતા માટે ફરીથી તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે સ્વચ્છ અને સુલભ શૌચાલય સુવિધાઓ અને દિવ્યાંગજનો માટે અનુકૂળ સુવિધાઓ જેમ કે રેમ્પ અને સમર્પિત શૌચાલય સમાવેશ સુનિશ્ચિત કરે છે. પોર્ચ એક્સટેન્શન સ્ટેશનના પ્રવેશદ્વારને એક ભવ્ય આકર્ષણ પ્રદાન કરે છે તથા અગ્રભાગ અને કોન્કોર્સમાં સુધારો પરિસરને એક સુંદર વિરાસત અપીલ પ્રદાન કરે છે. ઉન્નત સાઈનેજ, કોચ ઈન્ડિકેશન સિસ્ટમ, મોડ્યુલર ટોયલેટ બ્લોક અને આધુનિક ફર્નિચર જેવી વધારાની સુવિધાઓ સ્ટેશનની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
પોતાના વ્યાપક પુનર્વિકાસ દ્વારા મોરબી રેલવે સ્ટેશન હવે માત્ર એક મહત્વપૂર્ણ પરિવહન કેન્દ્ર તરીકે જ ઊભું નથી, પરંતુ શહેરની વિરાસતનું એક ગૌરવશાળી પ્રતીક પણ છે, જે ભૂતકાળની ભવ્યતાને ભવિષ્યની માંગો સાથે તાલમેલ સાધે છે.