• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home City

એસી લોકલની ફેરીમાં વધારો, પ્રવાસી સંગઠનોનો ભારે વિરોધ

એસી લોકલને કારણે સામાન્ય પ્રવાસીઓને ભારે હેરાનગતિ સહેવી પડે છે

by P C KAPADIA
August 18, 2022
in City, Mumbai
0
એસી લોકલની ફેરીમાં વધારો, પ્રવાસી સંગઠનોનો ભારે વિરોધ
Share on FacebookShare on Twitter

15 ઓગસ્ટથી મધ્ય અને પશ્ચિમ રેલવેએ એસી લોકલના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે. સાદી લોકલના ભોગે એસીની સર્વિસ વધારવામાં આવી હોવાથી સામાન્ય પ્રવાસીઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. સાદી લોકલની સર્વિસ ઘટાડી એસી ટ્રેનો શરૂ કરાથી હોવાથી પ્રવાસી સંગઠનો પણ એના વિરોધમાં આક્રમક બન્યા છે. પશ્ચિમ રેલવેમાં પણ આ પ્રકારે એસી ટ્રેનો વધારાતા સામાન્ય પ્રવાસીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે.

મુંબઈમાં એસી લોકલની શરૂઆત થઈ ત્યારે પણ લોકોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ લોકોના વિરોધને અવગણી રેલવે પ્રશાસન એના નિર્ણયને વળગી રહ્યું હતું. એસી લોકલને કારણે સાદી લોકલ રદ કરાતી હોવાથી સામાન્ય પ્રવાસીઓનો સમય બગડવાની સાથે ભારે ભીડવાળી લોકલમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. આજની મોંઘવારીમાં લોકોને બીજા વર્ગનો પાસ પોસાતો નથી ત્યાં એસીના ભાડાં ક્યાંથી પરવડે?

સ્વતંત્રતા દિવસથી મધ્ય રેલવેના જનરલ મેનેજરે વધારાની દસ એસી લોકલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. નવી દસ ટ્રેનોને કારણે એસી લોકલની સર્વિસની સંખ્યા વધીને 66 થઈ છે. જોકે પ્રવાસી સંગઠનો રેલવેના આ નિર્ણયતી નારાજ છે.

થાણે અને એ પછીના ડોંબિવલી, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર જેવા વિસ્તારોમાં રહેનારાઓ માટે પાંચમી અને છઠ્ઠી લાઇન વરદાનરૂપ હશે એવું જણાવાઈ રહ્યું હતું. પણ જ્યારથી આ લાઇનનું લોકાર્પણ થયું ત્યારથી એના પર માત્ર એસી લોકલ જ દોડાવવામાં આવી રહી હોવાથી આ રૂટના પ્રવાસીઓને એનો કોઈ લાભ થયો નથી.

મધ્ય અને પશ્ચિમ ની લોકલ લાઇન પર સાદી લોકલ બંધ કરી એસી લોકલ શરૂ કરવી અનિવાર્ય હોવાનું કહેવાય છે. કારણ, આવનારા સમયમાં જેટલી પણ નવી લોકલ મુંબઈગરા માટે આવશે એ તમામ એસી હશે એવો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો છે. પરંતુ એસીમાં બેસીને નિર્ણય લેતા અધિકારીઓએ મુંબઈના સામાન્ય અને ગરીબ પ્રવાસીઓ વિશે વિચાર્યું હશે કે કેમ એવો સવાલ ખડો થાય છે. કારણ આવા પ્રવાસીઓ માટે તો એસી લોકલની ટિકિટ કે પાસ કઢાવવો એટલે મહિનાભરના બે ટંકના પૈસા ખરચી નાખવા જેવું છે.

એસી લોકલને ઘણો નબળો પ્રતિસાદ મળ્યો છે. એના ટિકિટના દર પ્રવાસીઓને પરવડી શકે એવા હતા જ નહીં. જોકે તાજેતરમાં કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવેએ મુંબઈની મુલાકાત લઈ લોકલ ટ્રેનો વિશે મેળવેલા અહેવાલને પગલે એસી લોકલની ટિકિટોના દર ઘટાડવાની જાહેરાત કરી હતી. ટિકિટના ભાવ ઘટાડવા છતાં એસી લોકલને જોઇએ તેવો પ્રતિસાદ મળતો ન હોવા છતાં ટિકિટના ભાવ ઘટાડા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોવાનો દાવો રેલવે કરી રહી છે. અને વધતા પ્રતિસાદને પગલે એસી લોકલની સર્વિસ વધારવાનો નિર્ણય પ્રશાસને લીધો હોવાનું અધિકારીનું કહેવુ છે.

Tags: AC LocalCentral RailwayWestern Railwayએસી લોકલપશ્ચિમ રેલવેમધ્ય રેલવે
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
બેસ્ટના કાફલામાં આજથી જોડાશે એસી ડબલ ડેકર બસ

બેસ્ટના કાફલામાં આજથી જોડાશે એસી ડબલ ડેકર બસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com