• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, July 20, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

13 જુલાઈએ ચંદ્રયાન-3ને લૉન્ચ કરશે ઇસરો

13 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી બપોરે 2.30 વાગ્યે ચંદ્રયાન લૉન્ચ કરાશે

by P C KAPADIA
June 28, 2023
in National
0
13 જુલાઈએ ચંદ્રયાન-3ને લૉન્ચ કરશે ઇસરો
Share on FacebookShare on Twitter

ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇસરો જુલાઈના ત્રીજા અઠવાડિયે ચંદ્રયાન-3ને લૉન્ચ કરશે. આજે ઇસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન લૉન્ચ કરાશે. જો ચંદ્રયાન-3નું લૉન્ચિંગ સફળ રહ્યું તો ભારત આમ કરનારો ચોથો દેશ બની જશે. આ અગાઉ અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાના સ્પેસક્રાફ્ટ ઉતારી ચુક્યા છે.

ચંદ્રયાન-2 મિશનને 22 જુલાઈ, 2019ના લૉન્ચ કરાયું હતું. લગભગ બે મહિના બાદ 7 સપ્ટેમ્બર, 2019ના ચંદ્નના સાઉથ પોલ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલા વિક્રમ લેન્ડર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. એ સાથે ચંદ્રયાનનું 47 દિવસની સફર પૂરી થઈ ગઈ હતી. ત્યાર બાદ ભારતે ચંદ્રયાન-3 મિશનની તૈયારી શરૂ કરી રહ્યું છે.

ચંદ્રયાન મિશન અંતર્ગત ઇસરો ચંદ્રનો અભ્યાસ કરવા માગે છે. ભારતે પહેલીવાર 2008માં ચંદ્રયાન-1નું સફળ લૉન્ચિંગ કર્યું હતું. ત્યાર બાદ 2019માં ચંદ્રયાન-2ના લૉન્ચિંગમાં નિષ્ફળતા મળી હતી. હવે ચંદ્રયાન-3 લૉન્ચ કરી ઇતિહાસ રચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચંદ્રયાન-3નું લૉન્ચિંગ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે. ચંદ્રયાન-3ના ત્રણ હિસ્સા – પ્રોપલ્શન મૉડ્યુલ, લેન્ડર મૉડ્યુલ અને રોવર તૈયાર કરવામાં આવ્યા છે. એને ટેક્નિકલ ભાષામાં મૉડ્યુલ કહે છે.

મિશન સફળ બનાવવા અનેક સફળ ટેસ્ટિંંગ કરાયા

ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. આ મિશનને સફળ બનાવવા માટે એમાં વધારાના અનેક સેન્સર્સ જોડવામાં આવ્યા છે. એની ઝડપ માપવા માટે એમાં લેઝર ડૉપલર વેલોસીમીટર સિસ્ટમ બેસાડવામાં આવ્યું છે.

ચંદ્રયાન-3 મિશનના લૉન્ચિંગ વ્હીકલના ક્રાયોજેનિકના ઉપરના હિસ્સાને વેગ આપનારા સીઈ-20 ક્રાયોજનિક એન્જિનના ઉડાન સમયના ટેમ્પરેચર ટેસ્ટિંગમાં સફળ રહ્યું હતું. આ અગાઉ લેન્ડરનું એક ટેસ્ટિંગ ઈએમઆઈ/ઈએમસી પણ સફળતાપૂર્વક કરાયું હતું.

જીએસએલવી એમકે-3થી ચંદ્રયાન લૉન્ચ કરાશે

ચંદ્રયાન-3 મિશનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જિયોસિન્ક્રોનેસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (જીએસએલવી) એમકે-3થી લૉન્ચ કરાશે. આ ત્રણ સ્ટેજવાળા લૉન્ચ વેહિકલ છે, જેનું નિર્માણ ઇસરો દ્વારા કરવામાં આવ્યું છે. દેશના સૌથી હેવી લૉન્ચ વેહીકલને બાહુબલી નામથી પણ ઓળખાય છે.

ચંદ્રયાન-3 મિશન સાથે અનેક પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો મોકલવામાં આવશે, જેથી લેન્ડિંગ સાઇટની આસપાસની જગ્યાએ ચંદ્રની ખડકાળ સપાટીની, ચંદ્ર પર આવતા ધરતીકંપ અને ચંદ્રની સપાટીની મૌલિક રચનાની થર્મલ-ફિઝિકલ પ્રોપર્ટીઝની જાણકારી મેળવવામાં સહાયરૂપ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2024માં ગગનયાન મિશન દ્વારા ભારત પહેલીવાર માનવને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

Tags: Andhra PradeshChandryan-3GSLVIsroSpace CentreSriHarikotaઆંધ્ર પ્રદેશઇસરોચંદ્રયાન-3જીએસએલવીશ્રીહરિકોટાસ્પેસ સેન્ટર
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સમૃદ્ધિ હાઈવે પર ભયાનક રોડ અકસ્માત, 25 પ્રવાસીના મૃત્યુ

સમૃદ્ધિ હાઈવે પર ભયાનક રોડ અકસ્માત, 25 પ્રવાસીના મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com