૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૭૭મા આર્મી ડે પરેડ પ્રસંગે પુણેના મુખ્યાલય સધર્ન કમાન્ડ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સધર્ન કમાન્ડના જીઓસી-ઇન-સી દ્વારા મેજર જનરલ યોગેન્દર સિંહ, વીએસએમ એડીજી એનસીસી ડીટીઈ મહારાષ્ટ્રને પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા મેડલ (વીએસએમ) એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ પશ્ચિમી મોરચા પર રેપિડ ડિવિઝનના કમાન્ડ દરમિયાન જનરલ ઓફિસરના સમર્પણ, દૂરંદેશી અને દ્રષ્ટિકોણની યોગ્ય માન્યતા છે.
મેજર જનરલ યોગેન્દર સિંહે ૧ નવેમ્બર ૨૦૨૩ના એનસીસી ડિરેક્ટોરેટ મહારાષ્ટ્રના એડીજી તરીકે કમાન્ડ સંભાળ્યો. તેમના કુશળ નેતૃત્વ હેઠળ, એનસીસી ડિરેક્ટોરેટ મહારાષ્ટ્રે ૨૦૨૪ના પ્રજાસત્તાક દિવસ પરેડ દરમિયાન સતત ત્રીજા પ્રસંગે પ્રધાનમંત્રીનું બેનર જીત્યું. મહારાષ્ટ્ર ડિરેક્ટોરેટના અત્યાર સુધી ૨૩ વખત પ્રધાનમંત્રીનું બેનર જીતવાના રેકોર્ડ માટે માનનીય રાજ્યપાલ તરફથી એડીજીને પ્રશસ્તિપત્ર એનાયત કરાયો હતો.






