• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home National

ગઝવા-એ-હિન્દ અંગે જારી કરેલા ફતવા સબબ દારુલ ઉલુમ દેવબંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સહરાનપુર જિલ્લાધિકારીને આપ્યો કાર્યવાહી કરવાનો આદેશ

by P C KAPADIA
February 22, 2024
in National
0
ગઝવા-એ-હિન્દ અંગે જારી કરેલા ફતવા સબબ દારુલ ઉલુમ દેવબંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ
Share on FacebookShare on Twitter

અગ્રણી ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે જારી કરેલા એક ફતવાને કારણે ઉહાપોહ મચ્યો છે. સહારનપુર પ્રશાસનને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર)એ પત્ર લખી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દારુલ ઉલુમ દેવબંદની વેબસાઇટમાં ગઝવા-એ-હિન્દને માન્યતા આપતો ફતવો જારી કરવામાં આવ્યો છે. એમાં જણાવાયું છે કે ગઝવા-એ-હિન્દમાં મૃત્યુ પામનારનું બલિદાન મહાન ગણાય છે. ગઝવા-એ-હિન્દને યોગ્ય સાબિત કરવા દારુલ ઉલુમ દેવબંદે સાહિહસીતાના પુસ્તક સુન્નત અલ-નસાઈનો હવાલો ટાંક્યો છે. એક પ્રકરણમાં હઝરત અબુ હુરૈરાહનો હવાલો આપી એક હદીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ગઝવા-એ-હિન્દ અંગે જણાવાયું છે કે હું પોતે ધનદોલત એમાં કુરબાન કરી દઈશ. હું સૌપ્રથમ મહાન બલિદાની બનીશ. પુસ્તકને પ્રકાશિત કરનારી સંસ્થાનું પણ નામ આપવામાં આવ્યું છે.

હકીકતમાં એક શખસે દારુલ ઉલુમ દેવબંદ પાસે ગઝવા-એ-હિન્દ સંબંધિત જાણકારી માગી હતી. જેના જવાબમાં દારુલ ઉલુમ દેવબંદે ગઝવા-એ-હિન્દને યોગ્ય હોવાનું જણાવ્યું હતું. આને પગલે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે ફતવાને દેશ વિરોધી ગણાવી સહારનપુર ડીએમ અને એસએસપીને એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.ગઝવા-એ-હિન્દને યોગ્ય ગણાવતા દેવબંદના ફતવાને એનસીપીસીઆરે ગંભીરતાથી લીધો છે. જિલ્લાધિકારીને લખેલા પત્રમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. એનસીપીસીઆરનું કહેવું છે કે દારુલ ઉલુમ દેવબંદ મદરસામાં બાળકોને ભારત વિરોધી શિક્ષણ આપી રહ્યું છે. આને કારણે ઇસ્લામિક કટ્ટરબંધીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. એનસીપીસીઆરએ ફતવાને કિશોર ન્યાય અધિનિયમની કલમ 75નું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું છે. એ સાથે શંકા વ્યક્ત કરી છે કે ફતવાને કારણે દેશ વિરુદ્ધ નફરત ફેલાઈ શકે છે. આવા જોખમી પરિબળોને ધ્યાનમાં લઈ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુંગોએ આ મામલે સહારનપુર ડીએમ અને એસએસપીને પત્ર લખી દારુલ ઉલુમની વેબસાઇટની તપાસ કરવા જણાવ્યું છે. એનસીપીસીઆરના જણાવ્યા મુજબ ફતવા દ્વારા દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે. એટલે વેબસાઇટની તપાસ કરી એને  તાત્કાલિક બ્લૉક કરવામાં આવે. એનસીપીસીઆરે જિલ્લા પ્રશાસનને ઍક્શન ન લે તો તેમને જવાબદાર માનવાની પણ ચેતવણી આપી છે. જિલ્લાધિકારી દિનેશચંદ્ર સિંહે જણાવ્યું કે એનસીપીસીઆરનો આદેશ મળ્યો છે. જોકે આ મામલે દારુલ ઉલુમ દેવબંદ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Tags: Darul Ulum DevbandFatwaFundamentalistGazva E HindIslamNational Children Commissionઇસ્લામકટ્ટરબંધીગઝવા એ હિન્દદારુલ ઉલું દેવબંદફતવોરાષ્ટ્રીય બાળ આયોગ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સેવ ધ ટાઇગર અભિયાનને 71મી મિસ વર્લ્ડ ટીમનો મળ્યો સપોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com