આ વર્ષે ટી -૨૦ વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું છે. પરંતુ કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારતમાં આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ યોજાશે કે કેમ તે અંગે અવઢવ છે. જોકે, આઈસીસીએ આ અંગે નિર્ણય લેવા બીસીસીઆઈને ૨૮ જૂન સુધીનો સમય આપ્યો છે.
આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ઓમાને ટી -૨૦ વર્લ્ડ કપ યોજવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઓમાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે જો તેને તક મળે તો તે તેનું આયોજન કરવા તૈયાર છે. ઓમાન ક્રિકેટ પ્રમુખ પંકજ ખીમજીએ આ અંગે વાતચીત કરતા કહ્યું, બીસીસીઆઈ અને આઈસીસીએ પહેલા આ મુદ્દે નિર્ણય લેવાની જરૂર છે. અમને સંભવિત સ્થળ તરીકે પસંદ કરાશે તે ખુશી મળશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવા માટે મંજૂરી મળી છે તેમણે કહ્યું આ મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે ઓમાન પાસે સાધન છે અને આઈસીસી વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવા પણ સંમત થાય તેવા. સંકેત મળ્યા છે. જો ટુર્નામેન્ટને યુએઈમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, તો ઓમાનને ટી ૨૦ વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કરવાની તક મળી શકે છે.
બીસીસીઆઇએ આવતા મહિને આઇસીસીની બેઠકમાં સંપૂર્ણ યોજના સાથે આવવાનું રહેશે. કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટ અંગે સવાલ છે. આવી સ્થિતિમાં, યુએઈમાં તેનું આયોજન કરી શકાય છે. જો કે, આ પછી પણ, યજમાન દેશ કોને બનાવવો તેના રાઇટ્સ બીસીસીઆઈ પાસે રહેશે. ભારતમાં જો ટી ૨૦ વર્લ્ડ કપ ન થાય તો તે ૨૦૨૨માં થઈ શકે છે.
આઈસીસીના સભ્યએ કહ્યું, બીસીસીઆઈ ગ્લોબલ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે. તેઓ તેને ગુમાવવા માંગતા નથી. આઈસીસી આવતા વર્ષે બે વિંડોઝ શોધી રહી છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨, પરંતુ આ મહિલા વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે. તેથી તેનુ આયોજન થોડુ મુશ્કેલ છે.






