વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરાશે
૨૭ જુલાઇના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. લોકાર્પણ બાદ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ “રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ” તરીકે ઓળખાશે.
રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઓથોરિટી સાથે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ચેરમેન સંજીવકુમાર દ્વારા હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું “રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ“ તરીકે નામકરણ કરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું હતું. એટલે હવેથી આ એરપોર્ટ “રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ” તરીકે ઓળખાશે.

એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડિપાર્ચર સહિતની જગ્યાઓને સાઇનેજીસથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ કરી દેવામાં આવી છે. ઓપરેશન મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોની રેકી કરી લેવામાં આવી છે. એરપોર્ટ ખાતે જરૂરી સાફસફાઇ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

હાલમાં એરપોર્ટ ઓર્થોરિટીના ચેરમેન સંજીવકુમાર હિરાસર એરપોર્ટની મુલાકાત લઇ ચુક્યા છે. તેમજ ડી.જી.સી.એ. ની ટીમ દ્વારા મુલાકાત લઇ ફાઇનલ ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૨૭ જુલાઇના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્લેન દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ એરપોર્ટનું ઉદઘાટન કર્યા બાદ રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કરશે.
એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડિપાર્ચર સહિતની જગ્યાઓને સાઇનેજીસથી સજ્જ કરી દેવામાં આવ્યું છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ કરી દેવામાં આવી છે. ઓપરેશન મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોની રેકી કરી લેવામાં આવી છે. એરપોર્ટ ખાતે જરૂરી સાફસફાઇ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હાલમાં એરપોર્ટ ઓર્થોરિટીના ચેરમેન સંજીવકુમાર હિરાસર એરપોર્ટની મુલાકાત લઇ ચુક્યા છે. તેમજ ડી.જી.સી.એ. ની ટીમ દ્વારા મુલાકાત લઇ ફાઇનલ ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૨૭ જુલાઇના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્લેન દ્વારા હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ એરપોર્ટનું ઉદઘાટન કર્યા બાદ રેસકોર્સ મેદાન ખાતે જનસભાને સંબોધન કરશે.
– રાજકોટ ન્યૂઝ